Advertisement

પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

http://satyarath.com/

—————
પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
—————
મહેસાણા જિલ્લામાં 4.67 લાખથી વધુ યોગ અભ્યાસુઓ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા
—————–
શર્મિષ્ઠા તળાવ, સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિવિધ સ્થળો યોગમય બન્યા
—————–00000000000000—————-
યોગ દ્વારા લોકોનો માનસિક અને શારીરીક સ્વાસ્થય સાથે સંપુર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે
-આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ

મહેસાણા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” થકી રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકોનો તમામ સ્તરે વિકાસ થાય તે હેતુથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેમ આરોગ્યમંત્રીશ્રીએ યોગ દિવસની શુભકામનાઓ પાઠવતાં જિલ્લાના નાગરિકોને જણાવ્યું હતું.

આરોગ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે યોગ દ્વારા લોકોનો માનસિક અને શારીરીક સ્વાસ્થય સાથે સંપુર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે. યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે. આ મહામૂલી ભેટને વિશ્વ ફલક પર નામના સાથે આજે વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે દુનિયાના લોકો યોગ અપનાવવાથી તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાસંદશ્રી હરીભાઇ પટેલે જણાવ્યું હતું કે યોગ એ ભારતની વૈદિક સંસ્કૃતિ છે. ઋષિ-મુનિઓએ શોધેલો યોગ ભારતે વિશ્વને આપેલી વિરાસત છે. પ્રાચીન સમયમાં યોગના કારણે લોકોના મન-શરીર-આત્મા તંદુરસ્ત રહેતા હતા. ઋષિ-મુનિઓની સાધના પદ્ધતિના લીધે અનેક લાભ કરાવતા આ યોગની આપણને વિરાસત મળી, પરંતુ યોગને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરવાનું કામ એનો બહોળો પ્રચાર કરવાનું કામ અને તેની આંતરાષ્ટ્રીય માન્યતા અપાવવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.

આ તકે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડૉ. હસરત જૈસમીને યોગ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે , “યોગનું આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે”.યોગ માત્ર આપણા જીવનનો એક હિસ્સો નથી, આજે, તે જીવન જીવવાની રીત બની જાય તેવી યોગ દિવસે પ્રેરણા સૌને લેવા અપીલ કરી હતી

આ પ્રસંગે નડાબેટ ખાતેના મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાદાયી ઉદ્બબોધનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

મહેસાણા પોલીસ હેડ ક્વાટર્સ સાથે જોડાયેલા યોગા અભ્યુસાઓને યોગ શિક્ષક દ્વારા કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ કરાવાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય સર્વેશ્રી સુખાજી ઠાકોર, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એસ.સી.સાવલિયા, અગ્રણી જે.એફ ચૌધરી, અગ્રણી ભગાજી ઠાકોર,અગ્રણી રમેશભાઇ સોલંકી, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, યોગ અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

https://satyarath.com/

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!